નવા ટેક્સ કોડ હેઠળ યુલિપમાં ટેક્સ કવચ નહીં મળે-ટેક્સ હેલ્પલાઈન-કમાણી -બચત-Economic Times Gujarati

Economic Times Gujarati-Business News
ટેક્સ હેલ્પલાઈન
Google
English Gujarati
Powered by Quillpadકેવી રીતે શોધશો

નવા ટેક્સ કોડ હેઠળ યુલિપમાં ટેક્સ કવચ નહીં મળે
17 Jun 2010, 0923 hrs IST, ET Bureau  

 પ્રિન્ટ લો   ઈમેઈલ કરો   ચર્ચા કરો  બૂકમાર્ક  સેવ કરો  તંત્રીને લખો Text:
યુનિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ પ્લાન (યુલિપ)ને વધુ એક ફટકો પડવાની તૈયારી છે. યુલિપનું નિયમન કોણે કરવું એ અંગે હજુ સેબી અને ઇરડા વચ્ચે વિવાદ જારી છે ત્યારે યુલિપે વધુ એક અવરોધનો સામનો કરવો પડશે એવી શક્યતા છે.

પ્રત્યક્ષ કરસંહિતા અથવા ડાયરેક્ટ ટેક્સ કોડ અમલી બનશે ત્યારે મ્યુચ્યુઅલ ફંડની તુલનામાં જીવન વીમાનો વધારાનો લાભ આપતા યુલિપના રોકાણકારોને કરમુક્તિ મળવાની બંધ થશે. માત્ર જીવન વીમો ધરાવતી પ્રોડક્ટ્સને જ કરલાભ મળશે.

નાણામંત્રાલયના એક અધિકારીએ કહ્યું હતું કે , યુલિપને હાલ મળતી એક્ઝમ્પ્ટ , એક્ઝમ્પ્ટ , એક્ઝમ્પ્ટ ( EEE )ની ટેક્સ ટ્રીટમેન્ટ રદ થશે.

યુલિપને મળતો કરલાભ બંધ થશે તો તેની અસર તેજીમાં સૌથી વધુ વેચાતી આ પ્રોડક્ટના વેચાણ પર થશે. આઇડીબીઆઇ ફોર્ટિસ લાઇફ ઇન્શ્યોરન્સના એમડી અને સીઇઓ જી વી નાગેશ્વર રાવે કહ્યું હતું કે , ઇન્શ્યોરન્સ પ્રોડક્ટના વેચાણ માટે કરલાભ મહત્ત્વનું પરિબળ છે અને આ લાભ દૂર થશે તો તેની અસર વેચાણ પર થશે.

અત્યારે યુલિપના રોકાણકારોએ કોઈ પણ તબક્કે વેરો ચૂકવવો પડતો નથી. બેન્ક થાપણ , ઇક્વિટીલક્ષી મ્યુચ્યુઅલ ફંડ્સ , નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ ( NSC ) અને હોમ લોનની મુદ્દલની ચુકવણી સહિત યુલિપ પણ કર કપાતને પાત્ર છે. કરદાતા આ ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરીને વાર્ષિક રૂ. એક લાખ સુધીની કર કપાત મેળવી શકે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ ( CBDT ) કર કપાત મળતી હોય એવા ઇન્સ્ટ્રુમેન્ટની સંખ્યામાં ઘટાડો કરવા સક્રિય છે એમ સીબીડીટીના ચેરમેન એસએસએન મૂર્તિએ જણાવ્યું હતું. યુલિપની સાથે નવા ટેક્સ કોડમાં ઇક્વિટીલક્ષી મ્યુચ્યુઅલ ફંડ્સ , એનએસસી , બેન્કોની મુદતી થાપણ અને હોમ લોન પર પણ કરલાભ બંધ કરાશે. ઉપરાંત , કરવેરાની આવક વધારવા સીબીડીટી ટેક્સ કોડના મૂળ મુસદ્દામાં સૂચવવામાં આવેલી રૂ. ત્રણ લાખની કર કપાતની રકમમાં પણ ઘટાડો કરવા માંગે છે.

ઇરડાના એક્ચ્યુઅરીના સભ્ય આર કન્નને કહ્યું હતું કે , યુલિપની હાલની ટેક્સ ટ્રીટમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર માટે ભંડોળ આકર્ષવામાં લાભદાયી છે. ઉપરાંત , તેના કારણે શેરબજારમાં પણ મોટું રોકાણ આવે છે.

ડાયરેક્ટ ટેક્સ કોડમાં અગાઉ પરમિટેડ સેવિંગ્સ ઇન્ટરમિડિયરીઝના અભિગમનો પ્રસ્તાવ હતો. આ ઇન્ટરમિડિયરીઝ રોકાણકારની પસંદગીના આધારે ભંડોળનું રોકાણ યુલિપ , ઇક્વિટી લિંક્ડ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ , દેવાલક્ષી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ , શેર વગેરેમાં કરવાની હતી. આ રકમનો ઉપાડ કરપાત્ર હતો , પરંતુ રોકાણ પર કોઈ કરનો પ્રસ્તાવ ન હતો.

જોકે , CBDT એ આ પ્રસ્તાવ પડતો મૂક્યો છે. સુધારેલા ડાયરેક્ટ ટેક્સ કોડમાં કરાયેલી સ્પષ્ટતા અનુસાર પબ્લિક પ્રોવિડંટ ફંડ , પેન્શન ફંડ ડેવલપમેન્ટ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા સંચાલિત પેન્શન સ્કીમ , જનરલ પ્રોવિડંટ ફંડ , માન્ય પ્રોવિડન્ટ ફંડ તેમજ માત્ર જીવન વીમા પ્રોડક્ટ અને એન્યુઇટી સ્કીમ્સ કરમુક્ત રહેશે. નવી પેન્શન સ્કીમને ઇઇઇની ટેક્સ ટ્રીટમેન્ટ લાગુ પડશે અને તેના ઉપાડ પર ટેક્સ નહીં લાગે.
બિઝનેસના સમાચાર English| Hindi માં વાંચો
 પ્રિન્ટ લો   ઈમેઈલ કરો   ચર્ચા કરો  બૂકમાર્ક  સેવ કરો  તંત્રીને લખો Text:
આ વિભાગના સમાચાર

વધુ >>

બજાર
NSE|BSE
Graph
 
More IndicesNew|Mkt. Statistics
ET Gujaratiફોટોગેલેરીઝ
કમાણી - બચત

વધુ >>

ઉદ્યોગવાર સમાચાર

વધુ >>

તસવીર ગાથા
એક ડિવાઇસમાં ઘણું !
એક ડિવાઇસમાં ઘણું !
કેમેરા-પ્રોજેક્ટર-વૉચ એક જ...

વધુ >>



શો બિઝ
સલમાને વજન ઘટાડ્યું
સલમાને વજન ઘટાડ્યું
સલમાને પોતાનું 10 કિલો વજન ઘટાડ્યું છે...

વધુ >>

શોપ

વધુ >>

ટ્રાવેલ : હોટેલ્સ
જયપુર Rs 1100
નૈનીતાલ Rs 731

વધુ >>

મોબાઈલ 58888

વધુ >>

હોટ લિન્ક
Links
Powered by Indiatimes